અંબાલાલ પટેલની આગાહી:24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે બિપોરજોય વાવાઝોડું,આ વિસ્તારો પર સૌથી વધુ સંકટ

Cyclone Biporjoy News:અંબાલાલ પટેલની આગાહી મુજબ બિપોરજોય વાવાઝોડું પ્રચંડ રૂપ ધારણ કરશે, દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદ થવાનું પણ અનુમાન

બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ બિપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે. જેને લઇ 11 થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાઠે ભારે પવન ફૂકશે. આ સાથે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદ થવાનું પણ અનુમાન છે. દરિયાકાંઠે 70 થી 90 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફફરી એકવાર બીપોરજોય વાવાઝોડાને લઈ મોટી આગાહી કરી છે. બિપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. જેને લઈ હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ થશે. આ સાથે મધ્ય ગુજરાતમાં 40 કિમીથી વધુની સ્પીડે પવન ફૂંકાશે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ ભારે પવન ફૂંકાશે.

બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડું ઉતર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.આ વાવાઝોડું પોરબંદરથી 600 કિમી દૂર છે. વાવાઝોડું નજીક આવતા દરિયામાં સિગ્નલ બદલાશે. હાલ તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી છે.

આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગમી 5 દીવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર,કચ્છ, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમા થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.

અમદાવાદના હવામાન વિભાગના ડીરેક્ટર મનોરમા મોહતીનું જણાવ્યું કે, આજે અમરેલી,ગીર સોમનાથ,સુરત,વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પવનની ગતીમા પણ વધારો થશે

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. તો 13 થી 14 અને 15 જૂને ભારે પવન ફુંકાવાની શક્યતા છે. આ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.માછીમારોને આગામી 5 દીવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ છે.

દરિયામાં પણ આવતીકાલે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 12 તારીખે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકાય છે. વાવઝાડું હજુ પોરબંદરથી 600 કિમી દૂર છે. જેમ-જેમ વાવાઝોડું નજીક આવશે તેમ-તેમ તમામ બંદર પર સિગ્નલ બદલાવવામાં આવશે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, જામનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે.

Leave a Comment