Term Loan Scheme Gujarat:નવા ધંધા માટે ટર્મ લોન યોજના

Term Loan Scheme Gujarat:આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ તેમજ પરંપરાગત પ્રવુતિ સાથે જોડાયેલ ધન પ્રાપ્તિનાં માર્ગો આગળ વધનારો દેશ છે.પરતું સમયાંતરે કૃષિ અને પરંપરાગત પ્રવૃતિ આજે વિલુપ્ત થતી જાય છે. ત્યારે આપણા રાજ્યમાં વસનારા લોકો પોતાની મુળ કામગીરીથી અલગ ન થઈ જાય અને રોજગારની ઘટના કારણે આર્થિક બોજો સહન ન કરવો પડે તે માટે મુદ્દ્તિ ટર્મ લોન યોજના અમલી છે.

લોકોને આર્થિક રીતે સક્ષમ કરવા અનેક લોન યોજના ચલાવવામાં આવે છે. આજના આર્ટીકલમાં આપણે Term Loan Scheme Gujarat વિષે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

ગુજરાત સરકાર હેઠળના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ કલાકારીગરી વંશપરંપરાગત વ્‍યવસાય અને લઘુ ઉદ્યોગ, તેમજ સેવા પ્રકારના ધંધા તેમજ વ્‍યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૫,૦૦,૦૦૦/- સુધી લોન અંગેની મુદ્દતી ટર્મ લોન ની યોજના અમલમાં મુકેલ છે.

Term Loan Scheme Gujarat

યોજનાનું નામTerm Loan Scheme Gujarat
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
પેટા વિભાગ કચેરીનું નામમેનેજીંગ ડિરેક્ટર, વિકસતી જાતિ કલ્યાણ બ્‍લોક નં.૧૧,બીજે માળ,ડૉ. જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર, ગુજરાત
લાભાર્થીની પાત્રતાવિગત નીચે આપેલી છે
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજના/સેવા હેઠળ મળવાપાત્ર સહાય₹.15,00,000 /- લોન
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકે છે.વિચરતી કે વિમુક્ત જાતિ
અરજી પ્રકારઓફલાઈન
ઓફિશ્યલ વેબસાઇટ લીંકhttps://sje.gujarat.gov.in

મુદ્દતી ટર્મ લોન મેળવવાની પાત્રતા શું છે?

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
  • કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે
  • જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • ઓછામાં ઓછી ર૧ વર્ષ ની ઉંમર અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા તેમજ વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • ₹. પ.૦૦ લાખ સુધી વ્‍યાજનો દર વાર્ષિક ૬ % રહેશે
  • ₹. ૫.૦૦ થી ₹. ૧૦.૦૦ લાખ સુધી વ્‍યાજનો દર વાર્ષિક ૭%
  • ₹. ૧૦.૦૦ લાખથી ₹. ૧૫.૦૦ લાખ સુધી વ્‍યાજનો દર વાર્ષિક ૮% રહેશે.
  • લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
  • પરિવહન માટે લોન આપવામાં આવશે નહિ.
  • લોન વધુમાં વધુ રકમ ₹. ૧૫,૦૦,૦૦૦/- સુધીની છે.
  • ધંધા તેમજ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે.

યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • વિચરતી અને વિમુક્તિ જાતિનો દાખલો
  • અરજદારનું આઘાર કાર્ડ
  • લોન અંગેનું બાંહેધરી પત્રક
  • બેન્કની વિગત (કેન્સલ ચેક/પાસબુક)
  • ઘંધા કે વ્યવસાયનો પુરાવો
  • સરકાર દ્વારા વખતો વખત નિયત થાય તે મુજબના દસ્તાવેજ

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટ લીંકઅહીં ક્લિક કરો

FAQs:વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો

મુદ્દતી ટર્મ લોન NTDNT હેઠળની યોજના છે તો NTDNT શું છે?

Nomadic Tribes and Denotified Tribes (વિચરતી જાતિઓ અને બિનસૂચિત જાતિઓ)

Term Loan Scheme Gujarat ની અમલીકરણ એજન્સી કઈ છે?

નિયામકશ્રી, વિચરતી અને વિમુક્તિ જાતિ કલ્યાણની કચેરી

મુદ્દતી ટર્મ લોન માટે કોઈ આવક-મર્યાદા નિર્ધારીત છે?

ના, કોઈ આવક-મર્યાદા નિર્ધારીત થયેલ નથી.

 

Leave a Comment