Tabela Loan Sahay Yojana Gujarat:તબેલા લોન સહાય યોજના 2023

Tabela Loan Sahay Yojana 2023: તબેલા સહાય યોજનામાં તબેલો બનવવા માટે લાભાર્થીઓને 4 લાખ સુધીનું ધિરાણ મળશે. રાજ્યમાં વિવિઘ વિભાગો દ્વારા વિવિઘ યોજનાઓ ચાલવામાં આવે છે. આજે મીત્રો આપણે તબેલા લોન સહાય યોજના વિશે માહિતી મેળવીશું. અમારા આ લેખમા Tabela Loan Sahay Yojana વિશે ટૂંકમાં માહિતી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Tabela Loan Sahay Yojana Gujarat 2023:

યોજનાનું નામ  તબેલા લોન યોજન 2023
યોજનાનો ઉદ્દેશ  ગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે.
યોજનાના હેઠલ લોનની રકમ કેટલી મળશ ? આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
ક્યાં લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે ગુજરાત ના એસ.ટી (ST) ના નાગરિકોને
લોન પર વ્યાજદર કેટલો હશે? વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
ડોક્યુમેન્ટ કયા જોવે  આ યોજના માટે જે ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો.
Online Apply  અહી ક્લીક કરો
Official Website  અહી ક્લીક કરો

 

તબેલા લોન યોજના માટેની પાત્રતા:

તબેલા લોન સહાય યોજન માટે કેટલીક પાત્રતા છે જે નીચે મુજબ છે

  • અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 55 વર્ષથી વધારે ન હોવી જોઇએ
  • લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનુ પ્રમાણપત્ર હોવી જરૂરી છે
  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઈએ
  • અરજદારને ગાય ભેંસને સેવા કરતા આવડવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ
  • લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.
  • તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે
  • કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે.
  • તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
  • વગેરે

તબેલા માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો:

આ યોજનામાં વ્યાજદર કેટલો અને ફાળો કેટલો આપવાનો રહેશે તે નીચે મુજબ છે

  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

તબેલા લોન યોજના 2023 ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જન જાતિના લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. S.T. જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે ધિરાણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

  • Adijati Nigam Gujarat નામની વેસાઇટમા જાઓ
  • હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.

એપ્લિકેશન લૉગિન:

  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

My Application :

  • Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેસે
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

આ માહિતી તમારે વાંચવી જોઈએ

મહત્વપૂર્ણ લીંક:

તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
અહીં લોગિન કરો ક્લીક કરો
અહીં નોંધણી કરો અહી ક્લીક કરો

FAQs: વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો:

તબેલા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે?

લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

તબેલા લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) જ્ઞાતિના નાગરિકોને આ લોન આપવામાં આવે છે.

તબેલા લોન યોજના હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

Leave a Comment